નવમાં ધોરણના વિદ્યાર્થીઓના અંગ્રેજી વિષય પ્રત્યેના મનોવલણ

નવમાં ધોરણના વિદ્યાર્થીઓના અંગ્રેજી વિષય પ્રત્યેના મનોવલણ

Authors

  • Tarannum Bukhari

Abstract

શાળા એ સમાજનું અંગ છે. દેશના ભાવિ નાગરિકોનો મહત્ત્વનો વિકાસ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં થાય છે. બાળ મનોવૈજ્ઞાનિકોના મતે બાળકોમાં આ વર્ષો તેના વિકાસ માટે ખૂબ જ અગત્યના પાયારૂપ છે અને બાળવિકાસના શ્રેષ્ઠ તબક્કામાં વિદ્યાર્થી વિવિધ પ્રકારની ભૂભિકા ભજવે છે. આથી અહીં પ્રત્યેક વિદ્યાર્થીનો અંગ્રેજી વિષય પ્રત્યે મનોવલણ તપાસવાનો પ્રયોજકનો નમ્ર પ્રયાસ કરેલ છે. પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય હેતુ નવમાં ધોરણના વિદ્યાર્થીઓના અંગ્રેજી વિષય પ્રત્યેના મનોવલણ પર જાતીયતાની અસર તપાસવાનો હતો. પ્રસ્તુત સંશોધનનું ક્ષેત્ર શૈક્ષણિક મનોવિજ્ઞાન અને ભાષા શિક્ષક્ષ્ણ હતું. પ્રસ્તુત સંશોધન વ્યવહારિક સંશોધન તથા સંખ્યાત્મક પ્રકારનું હતું. પ્રસ્તુત અભ્યાસમાં રાજકોટ શહેરના નવમાં ધોરણના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધકએ નમૂના તરીકે રાજકોટ શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો હતો. જેમાં નવમાં ધોરણના ૩૨૬ વિદ્યાર્થીઓને નમૂના તરીકે પસંદ કરેલા હતા. પ્રસ્તુત સંશોધન વર્તનાત્મક પદ્ધતિ અંતર્ગત સર્વેક્ષણ પ્રકારનું હતું. પ્રસ્તુત અભ્યાસમાં નવમાં ધોરણના વિદ્યાર્થીઓના અંગ્રેજી વિષય પ્રત્યેના મનોવલણ કોમલ ભાલોડીયા રચિત માપદંડનો ઉપયોગ કરેલ હતો. અભ્યાસના અંતે રાજકોટ શહેરના નવમાં ધોરણના કુમારો અને કન્યાઓની અંગ્રેજી વિષય પ્રત્યેના વલણના સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે ૦.૦૧ કક્ષાએ સાર્થક તફાવત જોવા મળ્યો છે.

Downloads

Download data is not yet available.

References

ઉંચાટ, ડી.એ. (૨૦૧૨). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન પદ્ધતિશાસ્ત્ર. (દ્વિતીય આવૃતિ), રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

........, (૧૯૮૮). સંશોધનનું સંદોહન. રાજકોટ : શિક્ષણ શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

........,(૧૯૮૯–૨૦૦૬). સંશોધનોનો સારાંશ. રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

........, (૧૯૮૮). સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો ? રાજકોટ : નિજ્જિન સાયકો સેન્ટર.

દેસાઈ, હ. ગુ. અને દેસાઈ, કુ. ગો. (૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૫ મી આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ ખોર્ડ, ગુજરાત રાજ્ય.

દોંગા, એન. એસ. (૨૦૧૨). અધ્યાપન મનોવિજ્ઞાનમાં નવી દિશાઓ, વિકાસ, શિક્ષણ પ્રક્રિયા અને માહિતી ટેક્નોલોજી. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય,

Additional Files

Published

10-02-2021

How to Cite

Tarannum Bukhari. (2021). નવમાં ધોરણના વિદ્યાર્થીઓના અંગ્રેજી વિષય પ્રત્યેના મનોવલણ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(4). Retrieved from http://vidhyayanaejournal.org/journal/article/view/1383
Loading...